મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

અબકી બાર હિન્દુઓ કી સરકારઃ અયોધ્યામાં તોગડિયાએ કર્યુ નવા પક્ષનું એલાન

અયોધ્યા : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવિણ તોગડિયાએ અયોધ્યામાં સંકલ્પ સભા કરતાં નવા પક્ષનું એલાન કર્યું છે. તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતા કહયું છે કે જે લોકોએ રામના નામે ચૂંટણી લડી તેઓ સત્તા મળતા જ રામને ભુલી ગયાઃ તેમણે સમર્થકોને અબ કી બાર હિન્દુઓ કી સરકારનો નારો આપ્યોઃ નવા પક્ષના એલાન સાથે તોગડિયાએ લોકસભાની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતીઃ નવા પક્ષના નામની જાહેરાત દિલ્હીમાં થશે.

(4:13 pm IST)