મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

પૂંછ જિલ્લામાં ભારતીય સૈન્ય છાવણીમાં વિસ્ફોટ

જમ્મુ-કાશ્મીરઃ પુંછ જિલ્લામાં આવેલી ભારતીય સેનાની સૈન્ય છાવણીમાં વિસ્ફોટ થયો છે જોકે  કોઈ જાનહાનિ થઈ નથી

 જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આવેલી ભારતીય સેનાની સૈન્ય છાવણીમાં એક વિસ્ફોટ થયો છે. પુંછ જિલ્લાના મોતી મહલ ખાતે આવેલા ભારતીય સેનાની 93મી બ્રિગેડના હેડક્વોર્ટરની અંદર સવારે પોણા અગિયાર વાગ્યે વિસ્ફોટ થયો હતો.

  જમ્મુ ખાતેથી તેનાત ભારતીય સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દર આનંદે કહ્યુ છે કે આનો પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ફાયરિંગ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યુ છે કે આ વિસ્ફોટ સૈન્ય છાવણીમાં આવેલા એક માનવરહીત શેલ્ટરની અંદર થયો હતો. આ આખી ઘટનાની તપાસ થઈ રહી છે.

(1:48 pm IST)