News of Tuesday, 23rd October 2018
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ જમ્મુ-કાશ્મીરમાં :સરહદી સુરક્ષાની સ્થિતિની કરશે સમીક્ષા
રાજ્યપાલ,પોલીસ અને સુરક્ષાદળોના ટોચના અધિકારીઓ સાથે બેઠક ;સિવિલ સોસાયટીના સભ્યોને પણ મળશે
નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરની સરહદ અને એલઓસીમાં તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ રાજ્યના શ્રીનગર પહોંચી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની એક દિવસીય મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.
આ મુલાકાતમાં રાજનાથસિંહ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને સિવિલ, પોલીસ તથા સુરક્ષાદળોના ટોચના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરવાના છે. આ બેઠકમાં રાજ્યની હાલની પરિસ્થિતિનું આકલન પણ કરવામાં આવશે
રાજનાથસિંહ જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરે તેવી પણ સંભાવના છે. અન્ય કેટલાક સિવિલ સોસાયટીના સભ્યો સાથે પણ તેઓ મુલાકાત કરે તેવી શક્યતા છે.
(12:33 pm IST)