મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ભાજપના પાયાના પથ્થર અડવાણીજીને ફરી ફેકી દેવાયાઃ છતીસગઢના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત

રાયપુરઃ ભાજપે છત્તીસગઢમાં યોજાનાર ધારાસભાની ચુંટણીમાં ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ૨૦૧૩ સુધી જેમના નામ ઉપર મત માંગતી ભાજપે પાર્ટીના પાયાના પથ્થર અડવાણીજીનું નામ સામેલ ન કરી તેમની ઉપેક્ષા કરી છે. લીસ્ટમાં નરેન્દ્રભાઇ, અમિતભાઇ, રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, નીતીન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, ઉમાભારતી, સ્મૃતિ ઇરાની, ધમેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, જે.પી. નડડા, યોગી આદિત્યનાથ, રઘુવર દાસ, ફડણવીસ, ડો. રમણસિંહ, હેમા માલીની વગેરેના નામ સામેલ છે.

(11:56 am IST)