News of Tuesday, 23rd October 2018
અમૃતસર દુર્ઘટનામા અનાથ થયેલા બાળકોને ગોદ લેશેઃ નવજોતસિંહ સિધ્ધનુ એલાન
પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ કહ્યુ કે અમૃતસર દુર્ઘટનામા જેટલા બાળકો અનાથ થયા છે તે બધાને તેઓ ગોદ લેશે. એમણે વધુમા કહ્યુ કે જેટલા પણ પરીવાર છે તે બધા મારા પરિવાર છે. હુ એમને ગોદ લઉ છુ. કોઇનું ભણતર મારી જવાબદારી રહેશે. જો આમા કોઇ કમાવવાવાળું નહી હો તો મારી જવાબદારી રહેશે આ મારુ વચન છે.
(12:00 am IST)