મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

મહિલાઓના પ્રવેશના વિવાદ વચ્ચે બંધ થયા સબરીમાલા મંદિરના કપાટ

નવી દિલ્હી ;સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલ વિવાદની વચ્ચે કેરળના સરીમાલા મંદિરના ગેટ સોમવારે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા  મંદિરની માસિક પાંચ દિવસીય પૂજા રવિવારે ખતમ થઈ, જે બાદ સોમવારથી મંદિરના ગેટ બંધ થઈ ગયાહતા 

  અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવવાના આદેશ બાદ મંદિરના દરવાજા પાંચ દિવસીય પૂજા માટે ગત અઠવાડિયે ખુલ્યા હતા.

(9:03 pm IST)