મુખ્ય સમાચાર
News of Sunday, 23rd September 2018

નાના લોકો મોટી ઓફિસ સંભાળે એટલે લાંબુ વિચારી શકતા નથી : પાક. વડા પ્રધાનનું બાલિશ નિવેદન :

કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મી અને બીએસએફ જવાનની હત્યા કરીને તેમનો મૃતદેહ ક્ષતવિક્ષત કરવાની ઘટના પછી ભારતે પાકિસ્તાન સાથેના શાંતિવાર્તાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.

આ મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતની અહંકારી અને નિરાશાજનક પ્રતિક્રિયાથી અમે નિરાશ છીએ. ભારતે શાંતિવાર્તા રદ્ કર્યા પછી ઈમરાન ખાને ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમને ટોણો પણ માર્યો હતો. ઈમરાને કહ્યું હતું કે, હું આખી જિંદગી નાના લોકોને મળ્યો છું, જે ઊંચા ઊંચા હોદ્દા પર બેસી ગયા છે.

(12:27 pm IST)