News of Tuesday, 23rd July 2019
ફલેટનું મેઇન્ટેનન્સ રૂ. ૭પ૦૦ થી વધુ હોય તો ૧૮% GST લાગે
નવી દિલ્હી તા. ર૩ :.. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, ફલેટ માલિકો જો રૂ. ૭પ૦૦ થી વધુ માસિક મેઇન્ટેનન્સ ભરતા હોય તો તેઓએ ૧૮ ટકાના દરથી જીએસટી ચુકવવો પડશે.
ફલેટ માલિકનો મેઇન્ટેનન્સ ૭પ૦૦ થી વધુ હોય અને આરડબલ્યુ એ નાં વાર્ષિક ટર્ન ઓવર - કારોબાર ર૦ લાખથી વધુ હોય તો આરડબલ્યુએ દ્વારા સભ્યો પાસેથી જીએસટી લેવો પડે.
નાણા મંત્રાલયે પ્રતિ સભ્ય મેઇન્ટેનન્સ રૂ. ૭પ૦૦ થી વધુ હોવા પર પોતાના ફિલ્ડ કાર્યાલય માટે પરિપત્ર જારી કર્યો છે કે કઇ રીતે આરડબલ્યુએ જીએસટીની ગણતરી કરી શકે છે.
(11:28 am IST)