મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

ટાઈમ્સ નાવ તથા બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે સમાધાન : હવેથી બૉલીવુડ કે ફિલ્મ કલાકારોની બદનામી થાય તેવું પ્રસારણ નહીં કરવાની ટાઈમ્સ નાવએ જવાબદારી લીધી : સુશાંત રાજપૂત અવસાન કેસમાં અનેક કલાકારો તથા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની બદનામી કરતા પ્રસારણ સામે ટાઈમ્સ નાવ તથા રિપબ્લિકન ટીવી વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં દાવો દાખલ કરાયો હતો

ન્યુદિલ્હી : સુશાંત રાજપૂત અવસાન કેસમાં અનેક કલાકારો તથા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની બદનામી કરતા પ્રસારણ સામે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ટાઈમ્સ નાવ  તથા રિપબ્લિકન ટીવી વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં મોટા ભાગના બૉલીવુડ પ્રોડક્શન હાઉસ શામેલ હતા.

ઓક્ટોબર 2020 માં દાખલ કરાયેલા દાવામાં  જણાવાયું હતું કે ટાઈમ્સ નાવ તથા રિપબ્લિક ટીવી દ્વારા બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ કલાકારો વિષે બેજવાબદાર વિધાનો કરી તેઓને બદનામ કરવાની કોશિશ થઇ રહી છે.

ઉપરોક્ત દાવાના અનુસંધાને ગઈકાલે ટાઈમ્સ નાવ તથા બૉલીવુડ ઇન્ડસ્ટ્રી વચ્ચે સમાધાન કરાયું છે. જે મુજબ હવેથી બૉલીવુડ કે ફિલ્મ કલાકારોની બદનામી થાય તેવું પ્રસારણ નહીં કરવાની ટાઈમ્સ નાવએ જવાબદારી લીધી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:40 pm IST)