મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

રેલ્વેએ ૧ મે થી અત્યાર સુધી રપ૭૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવી : ૩ર લાખ પ્રવાસી મજુરો પહોંચ્યા ગૃહ રાજય

નવી દિલ્હી : ભારતીય રેલ્વે એ ૧ મે થી અત્યાર સુધી રપ૭૦ શ્રમિક વિશેષ ટ્રેનોથી ૩ર લાખ પ્રવાસી કામગારોને એમના ઘર સુધી પહોંચાડયા ભારતીય રેલવે તરફથી આધિકારિક આંકડાઓ આ જાણકારી આપવામાં આવી છે. શ્રમિક વિશેષ ટ્રેનો મુખ્યતઃ રાજયોના અનુરોધ પર ચલાવવામાં આવી છે.

જે લોકડાઉનના કારણે ફસાયેલા પ્રવાસી મજુરોને એમના ગૃહ રાજયો સુધી પહોંચાડવા માગે છે. રેલવે આ ટ્રેનો ને ચલાવવાનો કુલ ખર્ચ ૮પ ટકા ખર્ચ ખુદ વહન કરી રહી છે બાકી રકમ રાજય આપશે. જુદા જુદા રાજયોમાં જરૂરત પ્રમાણે ટ્રેનો ચલાવી છે.

(9:51 pm IST)