મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

જુના જમાનાની સુપ્રસિદ્ધ ફિલ્મ ' પાકીઝા ' ના દિગ્દર્શક કમાલ અમરોહી પરિવારના જફર મસૂદ : પાકિસ્તાનમાં પ્લેન ક્રેઝ થવા છતાં બચી ગયેલા 2 નસીબદાર નાગરિકો માંહેના એક : અખંડ ભારતના ઉત્તર પ્રદેશના વતની જફર પાકિસ્તાનની બેન્ક ઓફ પંજાબના ડિરેક્ટર છે

ઇસ્લામાબાદ : તાજેતરમાં પાકિસ્તાનમાં પ્લેન ક્રેઝ થવાથી માર્યા ગયેલા 90  જેટલા નાગરિકો વચ્ચે જીવતા બચેલા 2 નાગરિકો પૈકીના એક જફર મસૂદ મૂળ ભારતના ઉત્તર પ્રદેશના વતની છે.તથા તેમનો જુના જમાનાની સુપ્રસિદ્ધ ફિલ્મ પાકીઝાના દિગ્દર્શક કમાલ અમરોહી પરિવાર સાથે સીધો નાતો છે.તેમના નાના અને કમાલ અમરોહી બન્ને પિતરાઈ ભાઈઓ હતા.
જફર મસૂદ તેમના પરિવાર સાથે 1952 ની સાલમાં પાકિસ્તાન જતા રહ્યા હતા જ્યાં તેઓ બેન્ક ઓફ પંજાબના ડિરેક્ટર છે.
પ્લેન ક્રેઝ થવાથી તેઓને થાપાના હાડકામાં ફેક્ચર થયું છે.પરંતુ જાન બચી જવાથી તેઓ અલ્લાના શુક્રગુજાર છે તેમ જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:14 pm IST)