News of Saturday, 23rd March 2019
કન્હૈયાકુમારનું બેગુસરાયથી ચુંટણી લડવાનું નકકીઃ સીપીઆઇ બિહાર સચિવ
બિહારમાં મહાગઠબંધનની સીટ ફાળવણી થયા પછી સીપીઆઇએ સાફ કહયું કે જેએનયુ છાત્રાસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારનુ બેગુસરાયથી ચૂંટણી લડવાનું નકકી છે. સીપીઆઇના રાજય સચિવ સત્યનારાયણસિંહએ કહ્યું સ્પષ્ટ રણનીતિ માટે રવિવારના બેેઠક બોલાવવામા આવી છે. જેમાં મધુબની, મોતીહારી, બાંકા ખગડીયા જેવી સીટો પર ચૂંટણી લડવાને લઇ અંતિમ નિર્ણય લેવાાં આવશે.
(10:46 pm IST)