જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષે લોકપાલ પદે શપથ ગ્રહણ કર્યા :રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
પીએમ મોદી,ઉપ રાષ્ટ્રપતિ,સીજેઆઈ સહિતના ઉપસ્થિત રહ્યા
નવી દિલ્હી :જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષે દેશના પહેલા લોકપાલ પદે શપથ ગ્રહણ કર્યા. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે શપથ ગ્રહણ કરાવ્યા. આ પ્રસંગે પીએમ મોદી, ઉપ રાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ અને સીજેઆઈ રંજન ગોગોઈ પણ હાજર રહ્યા હતા
. ન્યાયમૂર્તિ પીસી ઘોષ મે, 2017માં સુપ્રીમ કોર્ટમાંથી સેવાનિવૃત થયેલા ન્યાયમૂર્તિ પીસી ઘોષ રાષ્ટ્રીય માનવાધિકારના સભ્ય પણ છે. ત્યારે જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષની ટીમમાં ન્યાયમૂર્તિ દિલિપ ભોંસલે, ન્યાયમૂર્તિ પ્રદીપ કુમાર મોહંતી, ન્યાયમૂર્તિ અજયકુમાર ત્રિપાઠીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કે એસએસબીના પૂર્વ પ્રમુખ અર્ચના રામસુંદરમ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ દિનેશ કુમાર જૈન, મહેન્દ્ર સિંહ, ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.