News of Friday, 23rd March 2018
રિઝર્વ બેંક ૪-૫ એપ્રિલે નાણાનીતિની સમીક્ષા બેઠક યોજશે
મુંબઈ તા. ૨૩ : રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલ અને એમપીસીના બીજા પાંચ નિષ્ણાતો ૪-૫ એપ્રિલે નાણાનીતિની સમીક્ષા માટે બેઠક યોજશે. આગામી નાણાકીય વર્ષ માટેની આરબીઆઇની આ પ્રથમ બેઠક હશે.ફુગાવાને ચાર ટકાની નજીક સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહેલી રિઝર્વ બેન્કે અગાઉની નાણાનીતિની સમીક્ષામાં રેપો રેટને છ ટકાના દરે સ્થિર રાખ્યો હતો. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે ૨૦૧૮-૧૯માં તે છ વખત બેઠક યોજશે.
(4:44 pm IST)