૧૫ મે એ વધુ સુનાવણી
રાહુલ ગાંધીને માનહાનિ કેસ મામલે રાહત
રાહુલે ૨૦૧૪માં થાણેમાં ભિવંડીમાં એક ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યાની પાછળ આરએસએસનો હાથ ગણાવ્યો હતો. આના પર આરએસએસના સ્થાનીય પદાધિકારી રાજેશ કુંતેએ રાહુલની વિરુદ્ઘ માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો.
મેજિસ્ટ્રેટ જેવી પાલીવાલની સામે શનિવારે સુનવણી દરમિયાન રાહુલના વકીલ નારાયણે ઐય્યરે જણાવ્યું કોવિડ ૧૯ પ્રતિબંધોના ચાલતા કોંગ્રેસ નેતા પ્રવાસ નહીં કરી શકે. જેથી તેમને સુનવણીમાંથી છુટ આપવામાં આવે. જેના પર કોર્ટે તેમને છુટની પરવાનગી આપી દીધી છે.
ત્યારે કુંતેના વકીલ પીપી જયવંતે સાક્ષ્યના રુપમાં પ્રસ્તુત કરવામાં આવેલા દસ્તાવેજોને પરવાનગી આપવાથી સંબંધિત આ મામલામાં બોમ્બે હાઈકોર્ટના દાખલ એક અરજીના હવાલો આપતા મોહલતની માંગ કરી છે.
જો કે મજિસ્ટ્રેટે કહ્યું કે હાઈકોર્ટે નીચલી અદાલતની સામે કાર્યવાહીપર પ્રતિબંધ લગાવવાનો આદેશ નથીં આપ્યો. જયવંતે મોહલતની માંગ કરી જેને કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે ૧૫ મે સુધી સુનવણીને સ્થગિત કરતા ફરિયાદીને એ જ દિવસે નિવેદન દાખલ કરાવવાનો આદેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે પોતાના સાંસદીય વિસ્તાર વાયનાડનો પ્રવાસે પહોંચ્યા છે. અહીં રાહુલ ગાંધી ટ્રેકટર રેલીમાં ભાગ લેના ગયા છે. રવિવારે ગાંધી કાલીકટ એરપોર્ટ પહોંચ્યા હતા. કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલનો આ પ્રવાસ ઘણો મહત્વનો છે.