જે દિવસે ભાજપ-આર.ઍસ.ઍસ. કોંગ્રેસના નેતાઅો વિશે જુઠ ફેલાવવાનું બંધ કરશે તે દિવસે કોંગ્રેસ સત્ય બોલવાનું બંધ કરશે : જયરામ રમેશ
કોંગ્રેસના મહાસચિવના ભાજપ ઉપર પ્રહારો
નવી દિલ્હી, તા. રર : કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપ ઉપર આકરાર પ્રહારો કર્યા છે.
હિન્દુત્વના વિચારક વી.ડી. સાવરકર પર રાહુલ ગાંધીની ટીપ્પણી અંગેના રોષને નજર અંદાજ કરતાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે કહ્નાં કે કોંગ્રેસ પાર્ટી ઙ્કસત્યઙ્ખ બોલવાનું ચાલુ રાખશે.
મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે ઍક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રમેશે ઍમ પણ કહ્નાં હતું કે તે દિવસે કોંગ્રેસ ભાજપ અને આરઍસઍસ સામે સત્ય બોલવાનું બંધ કરશે જે દિવસે ભાજપ કોંગ્રેસના નેતાઓ વિશે જૂઠ ફેલાવવાનું બંધ કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીઍ મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ઍવું કહીને વિવાદ સર્જ્યો હતો કે સાવરકરે જેલમાં હતા ત્યારે ડરીને બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને માફીપત્ર લખ્યો હતો. તે દરમિયાન રાહુલ ગાંધી સાવરકર દ્વારા લખવામાં આવેલા માફીપત્રો સાથે પ્રેસ કોન્ફ્રન્સ કરતા જોવા મળ્યા હતા.
તેમણે સાવરકરને ભાજપ અને આરઍસઍસના પ્રતીક ગણાવ્યા હતા.
જયરામ રમેશે કહ્નાં, કોંગ્રેસ પાર્ટી બીજેપી-આરઍસઍસ નેતાઓ વિશે સાચું બોલવાનું ચાલુ રાખશે. જે દિવસે ભાજપ અને આરઍસઍસ કોંગ્રેસના નેતાઓ વિશે જૂઠ ફેલાવવાનું બંધ કરશે તે દિવસે કોંગ્રેસ સત્ય બોલવાનું બંધ કરશે.