News of Friday, 22nd November 2019
'કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનો તફાવત સરકાર બનશે તો વધુ સમય ટકશે નહીં: નીતિન ગડકરી
કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધન તકવાદી :મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળે તો સારું નહીં
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી-શિવસેના મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. સૌથી મોટો પક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બને તો પણ તે વધુ સમય ટકશે નહીં.
નીતિન ગડકરીએ કહ્યું કે, 'કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનો તફાવત છે. ભલે તે સરકાર બને, પણ તે આગળ વધશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધન તકવાદી છે, મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળે તો સારું નહીં.
(9:39 pm IST)