મુખ્ય સમાચાર
News of Thursday, 21st November 2019

પ્રાર્થનાસભા બહાર પાપારાઝીની ભીડ જોઈ જ્યા બચ્ચન ભડક્યા :કેમેરામેનને કહ્યું તમને લોકોને કોઈ તમીજ નથી

 

મુંબઈ : બોલિવુડ સ્ટાર્સ ક્યાંય પણ જાય સામાન્ય રીતે તેમની ચારે તરફ કેમેરાની ભીડ જોવા મળે છે. બોલિવુડ સેલિબ્રેટી લાઇમલાઇટમાં રહેવા માટે અનેક વાર કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા છે. પરંતુ ક્યારેક કેમેરો જોઇ સ્ટાર્સને ગુસ્સો પણ આવે છે. પાપારાઝીની ભીડ જોઇ જયા બચ્ચન ગુસ્સે થઇ ગયા. સમયે તેમની સાથે બેટી શ્વેતા બચ્ચન હતી. બોલિવુડના મશહૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતા સૂરજ મલ્હોત્રાની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. દરમ્યાન અનેક બોલિવુડ સેલિબ્રિટી જોવા મળી. જયા બચ્ચન જ્યારે પ્રાર્થના સભામાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે કેમેરામેને ફોટા પાડયા, અને નારાજ થઇ ગયા

જયા બચ્ચને નારાજ થઇ પાપારાઝીને કહ્યું, 'તમને લોકોને કોઇ તમીજ નથી, તમે લોકો નથી વિચારતા કે કેવો માહોલ છે. આવા મોકા પર જો તમારા ઘરની બહાર લોકો ભીડ થઇને ભેગા થઇ જાય, ત્યારે હું જોઇશ તમને લોકોને કેવું લાગે છે.' ગુસ્સામાં શબ્દો કહી જયા બચ્ચન ગાડીમાં બેસી ગયા

(12:29 am IST)