કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો : દેશમાં નવા 15.724 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 18.625 દર્દીઓ રિકવર થયા : વધુ 232 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.53.076 થયો :એક્ટીવ કેસ 1.69.399 થયા : કુલ કેસની સંખ્યા 3.41.42.431 થઇ
સૌથી વધુ કેરળમાં 8733 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1573 કેસ,તામિલનાડુમાં 1164 કેસ, પશ્ચિમ બંગાળમાં 833 કેસ, મિઝોરમમાં 741 કેસ, ઓરિસ્સામાં 524 કેસ, આંધ્રપ્રદેશમાં 493 કેસ, કર્ણાટકમાં 365 કેસ, આસામમાં 384 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 15.724 કેસ નોંધાયા છે. જ્યારે 18.625 દર્દીઓ રિકવર થયા છે
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 15.724 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 232 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.53.076 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 15.724 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.41.42.431 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.69.399 થઇ છે છેલ્લા 24 કલાકમાં 18.625 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.35.06.816 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 8733 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1573 કેસ,તામિલનાડુમાં 1164 કેસ, પશ્ચિમ બંગાળમાં 833 કેસ, મિઝોરમમાં 741 કેસ, ઓરિસ્સામાં 524 કેસ, આંધ્રપ્રદેશમાં 493 કેસ, કર્ણાટકમાં 365 કેસ, આસામમાં 384 કેસ નોંધાયા છે