News of Thursday, 22nd October 2020
મહારાષ્ટ્રના પાલધર હિંસા પ્રકરણમાં સીઆઇડીએ નવા ર૦૮ લોકોના નામ આરોપી તરીકે જોડયા
પ૦ લોકોની ધરપકડ પણ કરીને પુછપરછ હાથ ધરાઇ
મુંબઇ : મહારાષ્ટ્રના પાલધર હુમલા કેસમાં સીઆઇડીએ કુલ ર૦૮ વધારે આરોપીના નામો એફ.આઇ.આર.માં જોડીને પ૦ લોકોની ધરપકડ પણ કરી લીધી છે.
હવે ધરપકડ કરાયેલ લોકોની સંખ્યા ૩૭૬ પર પહોંચી છે. જેમાં બે બાળ આરોપીઓ પણ છે.
સીઆઇડીએ રજુ કરેલ ચાર્જશીટમાં નામ ન હોવાથી ર૮ આરોપીએ અને ૯ બાળ આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા છે.
(9:51 pm IST)