News of Wednesday, 21st October 2020
મહારાષ્ટ્રમા સીબીઆઈને નો એન્ટ્રી : ઉદ્ધવ ઠાકરે સરકારેઆપેલી ‘સામાન્ય સંમતિ’ પાછી ખેંચી લીધી
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને આપેલી ‘સામાન્ય સંમતિ’ પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં હવે તપાસ એજન્સીને કોઈ પણ સંજોગોમાં તપાસ શરૂ કરવા માટે પરવાનગી માટે રાજ્ય સરકારનો સંપર્ક કરવો પડશે. સીબીઆઈએ ઉત્તર પ્રદેશ સરકારની ભલામણ પર ટીઆરપી કૌભાંડમાં એફઆઈઆર નોંધાવ્યાના એક દિવસ બાદ આ બાબત સામે આવી છે.
(12:33 am IST)