મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

હું સાવરકરની વિચારધારા સાથે નહી પણ આઝાદીમા એમનું યોગદાન નકારી નથી શકતોઃ કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવીની ટિપ્પણી

     કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું છે કે તે વી.ડી. સાવરકરની વિચારધારાથી સહમત નથી પણ ભારતની આઝાદીમા એમના યોગદાનને નકારી નથી શકતો.

     સિંધવીએ ટવિટ કર્યુ આ વાતને નકારી નથી શકતો કે તે ગુણી વ્યકિત હતા જેમણે દલિતોમાં હકની લડાઇમા યોગદાન આપ્યું અને દેશ માટે જેલ ગયા.

(12:00 am IST)