મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

રેલ દુર્ઘટનાને પગલે અમૃતસર બંધનું એલાન :મૃતકના પરિવારજનોએ આપી રેલ રોકો આંદોલનની ચીમકી

અમૃતસરમાં રેલ દુર્ઘટનાને પગેલે આજે બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સ્થાનિક લોકોએ રેલવે લાઈન પર દેખાવો કરતા પોલીસ એલર્ટ બની છે. મૃતક પરિવારના રોષના કારણે જોડા ફાટક પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 મૃતકના પરિવારજનોએ સોમવારે રેલ રોકો  આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જે બાદ મોટી સંખ્યામાં ફાટક પાસે પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા છે. 40 કલાક બાદ રવિવારે પહેલી ટ્રેન જોડા ફાટક પરથી પસાર થઈ હતી.

(1:27 pm IST)