મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

મહંત નરેન્દ્ર ગિરી પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ : પાંચ તબીબોની પેનલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમમાં ગળું દબાવી મૃત્યુ નિપજાવાયું હોવાનો ઘટસ્ફોટ : સીલબંધ કવરમાં ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સુપ્રત કરાયો : મૃતદેહને બાગમ્બરી ગાદી મઠમાં લઈ જવામાં આવ્યો : ગંગા સ્નાન કરાવવાની તૈયારીઓ શરૂ

ઉત્તર પ્રદેશ : અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બુધવારે કરવામાં આવ્યું હતું. લગભગ અઢી કલાક સુધી ચાલેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સીલબંધ કવરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.જેમાં ગળું દબાવી મૃત્યુ નિપજાવાયું હોવાનો ઘટસ્ફોટ કરાયો છે.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને બાગમ્બરી ગદ્દી મઠમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં ગંગામાં મૃતદેહને સ્નાન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર ગિરીનું પોસ્ટમોર્ટમ પાંચ તબીબોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમ સ્થળ સવારથી છાવણીમાં ફેરવાઈ ગયું અને કોઈ પણ મીડિયા કર્મીને અંદર જવા દેવામાં આવ્યુ નહીં.તેવું એબીપી દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)