મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

સાવરણીથી, ખુલ્લામાં કચરો રાખવાથી કોરોના ફેલાય છે

એઈમ્સના તબીબનો કોરોના વાયરસ સંદર્ભે દાવો : કચરો વાળતા સમયે આ કણો ધૂળ-માટીમાં ફેલાય છે

નવી દિલ્હી, તા. ૨૨ : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ(છૈંૈંસ્જી)ના સર્જરી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનુરાગ શ્રીવાસ્તવના દાવા પ્રમાણે સાવરણીના ઉપયોગથી અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોનાનો ચેપ વધે છે. આ વાયરસ કોઈ પણ જગ્યાએ ૩થી ૫ દિવસ સુધી રહે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ છીંક ખાય કે ખાંસી ખાય તો પણ તેના શરીરથી નીકળતા વિષાણુના કણ આસપાસની જગ્યાએ ફેલાય છે એમ તેમનું કહેવું છે.

સાર્વજનિક સ્થાનોએ કચરો વાળતી સમયે આ કણ ધૂળ માટીમાં ફેલાય છે. આ સમયે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થાય છે તો અહીં વાયરસ શ્વાસની મદદથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. ડોક્ટરે અપીલ કરી છે કે ૨ ઓક્ટોબરે સાવરણા કે સાવરણીને બદલે સ્વચ્છતા અભિયાનમાં વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવામાં આવે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર લોકો કોરોના સાથે જોડાયેલા કચરા, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટને ખુલ્લામાં ન નાંખે. આ કચરો એક બેગમા બંધ કરીને ૩ દિવસ રહેવા દો. આ પછી તેને યોગ્ય સ્થાને નાંખો. આમ કરવાથી કચરો એકત્રિત કરનારાને પણ સંક્રમણ લાગશે નહીં.

(9:21 pm IST)