રાજસ્થાન ભાજપમાં બખેડો:વસુંધરારાજેની હાજરીમાં બે નેતાઓ મંચ પર જ બાખડ્યા
-મુખ્યમંત્રીના નિર્દેશ બાદ સુરક્ષાકર્મીઓએ શેખાવતને મંચ પરથી નીચે ઉતારી દીધા
અલવર : રાજસ્થાન ભાજપમાં બખેડો થયો હતો મુખ્યામંત્રી વસુંધરા રાજેની હાજરીમાં ભાજપનાં બે વરિષ્ઠ નેતા રોહિત શર્મા અને દેવી સિંહ શેખાવત મંચ પર જ બાખડી પડ્યા હતા ઝખડો વધતા મુખ્યમંત્રીના નિર્દેશથી સુરક્ષામાં લાગેલા સુરક્ષા કર્મચારીઓએ શેખાવતને મંચથી ઉતારી દીધ હતા જોકે બંન્ને નેતાઓએ એક બીજા પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો
આ અંગે મળતી વિગત મુજબ મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાનાં હિસ્સા તરીકે અલવર પહોંચ્યા હતા. જ્યારે વસુંધરા રાજે ભાષણ આપી રહ્યા હતા ત્યારે શર્મા અને શેખાવતની વચ્ચે બોલાચાલી થઇ ગઇ જે ત્યાર બાદ મારામારી સુધી પહોંચી ગઇ. પોતાના પાર્ટી નેતાઓને મંચ પર લડતા જોઇને મુખ્યમંત્રી રાજેએ પોતાના સુરક્ષા કર્મચારીઓને શેખાવતને મંચ ઉતારવાનો નિર્દેશ આપવામાં આવ્યો. સુરક્ષા કર્મચારીઓએ તેને મંચ પરથી ઉતારી દીધા પરંતુ શેખાવત વિરોધ કરતા જોવા મળ્યા હતા.