મુખ્ય સમાચાર
News of Saturday, 22nd September 2018

ઈરાનમાં સેનાની પરેડ પર ત્રાસવાદી હુમલો: 24 જવાનોનાં મોત: 53થી વધુ જવાનો ઘાયલ

-બે આતંકીઓ સેનાની વર્દીમાં પહોંચી અંધાધૂંધ ગોળીઓ ચલાવવા લાગ્યા

 

ઈરાનમાં સેનાની પરેડમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં 24 જવાનોનાં મોત થયા છે જ્યારે 53થી વધુ જવાનો ધાયલ છે ઘાયલોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હજી સુધી હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી.

   મળતી જાણકારી પ્રમાણે ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડ ચાલી રહી હતી. દરમિયાન બે આતંકી સેનાની વરદી પહેરીને મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા અને ગોળીઓ ચલાવવા લાગ્યા હતા

(9:30 pm IST)