News of Saturday, 22nd September 2018
ઈરાનમાં સેનાની પરેડ પર ત્રાસવાદી હુમલો: 24 જવાનોનાં મોત: 53થી વધુ જવાનો ઘાયલ
-બે આતંકીઓ સેનાની વર્દીમાં પહોંચી અંધાધૂંધ ગોળીઓ ચલાવવા લાગ્યા
ઈરાનમાં સેનાની પરેડમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 24 જવાનોનાં મોત થયા છે જ્યારે 53થી વધુ જવાનો ધાયલ છે ઘાયલોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હજી સુધી આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી.
મળતી જાણકારી પ્રમાણે ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડ ચાલી રહી હતી. આ દરમિયાન બે આતંકી સેનાની વરદી પહેરીને મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા અને ગોળીઓ ચલાવવા લાગ્યા હતા
(9:30 pm IST)