યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ૧૩ સપ્ટે. થી ઉજવાઇ રહેલા ગણપતિ મહોત્સવ અંતર્ગત ર૩ સપ્ટે. ના રોજ ગણેશ વિસર્જન
મેરીલેન્ડ : યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ૧૩ સપ્ટે. થી ઉજવાઇ રહેલા ગણેશ મહોત્સવ અંતર્ગત ર૩ સપ્ટે. રવિવારના રોજ ગણેશ વિસર્જન કરાશે.
ર૩ સપ્ટેમ્બરે અન્નકુટ ચતુર્દશીના રોજ થનારા ગણેશ વિસર્જન પ્રસંગે સાંજે ૪.૩૦ કલાકે ગણેશ પૂજન કરાશે. બાદમાં પ.૩૦ કલાકે ભજન, બાદ સાંજે ૬.૪પ કલાકે વિસર્જન કરાશે. તથા સાત વાગ્યે આરતી થશે.
ઉપરાંત આગામી ૧૪ ઓકટો. ર૦૧૮ રવિવારના રોજ યુનાઇટેડ હિન્દુ તથા જૈન ટેમ્પલ્સના ઉપક્રમે દિવાળી મેળાનું આયોજન કરાયું છે. જેનો સમય સવારે ૧૧ થી રાત્રિના ૮ સુધીનો રહેશે.
મેટ્રેોપોલિટન વોશીગ્ટન, ડીસી તથા બાલ્ટીપોરના મંદિરોના સહકારથી ઉજવાનારા આ દિવાળી મેળાનું સ્થળ નોવા ફિલ્ડ હાઉસ, ૧૪૮૧૦, મુડોર્ક સ્ટ્રીટ, શાંતિ,વર્જીનીઆ રહેશે. જેમાં ' લક્ષ્મી પૂજા' આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા, દાંડિયા રાસ, ડાન્સ સહિતના આયોજનો કરાયા છે.તેવું મંગલ મંદિરની યાદી જણાવે છે.