News of Thursday, 22nd August 2019
ઇમરાનખાન આઇએસઆઇની ભાષા બોલનારા એમના પોપટ છેઃ બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ટિપ્પણી
બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બુધવારના પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનને પાક જાસુસી એજન્સી આઇએસઆઇની ભાષા બોલવાવાળા પોપટ બતાવ્યા છે.
એમણે કહ્યું જયાં સુધી સવાલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનનો છે તો તે આઇએસઆઇની કઠપૂતળી છે.
સ્વામીએ કહ્યું હવે ફકત એકમાત્ર મુદો પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરનો છે જે ભારતનું ક્ષેત્ર છે. જો કે સ્વામીએ સ્પષ્ટ કર્યુ કે આ એમની અંગત સલાહ છે.
(11:31 pm IST)