મુખ્ય સમાચાર
News of Thursday, 22nd August 2019

ભારત સરકારએ વિદેશીઓ માટે ખોલ્યું કંચનજંગા, પૂર્બી દુનાગિરી સહિત ૧૩૭ શિખરો

 ભારત સરકારએ કંચનજંગા, પૂર્બી દુનાગીરી સહિત ૧૩૭ શિખરો વિદેશી સહેલાણીઓ માટે ખોલ્યા છે.પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલએ જણાવ્યું કે હજુ સુધી વિદેશીઓને આ શિખર પર ચઢાણ કરવા માટે રક્ષા અને ગૃહ મંત્રાલયથી મંજુરી લેવાની થતી હતી. પણ હવે તે સીધા ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન પાસે પરમીટ માટે આવેદન કરી શકશે. કુલ ૧૩૭ શિખરોમાંથી, પ૧ ઉતરાખંડમાં, ર૪ શિખરો સિક્કિમમાં છે, ૧પ શિખરો જમ્મુ-કાશ્મીરમાં અને હીમાચલમાં ૪૭ શિખરો છે.

(10:09 pm IST)