મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

ફારૂક અબ્દુલ્લાને ભારત માતા કી જયના નારા લગાવવા ભારે પડ્યા :ઈદની નમાજ વેળાએ લોકોએ કર્યો વિરોધ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઈદની નમાઝ પઠવા પહોંચેલા નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

   ફારૂખ અબ્દુલ્લાએ દિલ્હીમાં અટલજીની પ્રાથના સભામાં ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જે બાદ તેમનો વિરોધ મસ્જિદ બહાર ઉભેલા લોકોએ કર્યો હતો. કેટલાક લોકોએ જાકિર મુસા અને આઝાદીના નારા લગાવ્યા હતા. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે નારેબાજીથી આઝાદી નહીં મળે. ભારત પાકિસ્તાન મળીને શાંતિ પર નિર્ણય કરે.

(11:08 pm IST)