મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

મુંબઈના પરેલના ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ ભભૂકી :ચારના મોત :14 ઘાયલ

હિંદમાતા સિનેમા પાસે આવેલ બિલ્ડિંગના 13મા માળે આગ :25થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે :અનેક લોકો ટાવરમાં ફસાયા

મુંબઈ :મુંબઇના પારેલ વિસ્તારમાં આજે સવારે ક્રિસ્ટલ ટાવરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત નીપજ્યાં છે.જયારે 14 લોકો ઘાયલ થયા છે 


   જાણવા મળતી વિગત મુજબ આગ ક્રિસ્ટલ ટાવરના 13મા માળે લાગી છે આ બિલ્ડિંગ રેસીડન્સિયલ છે. આગને કાબુમાં લેવા માટે 25થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.ચાર લોકોના મોત થયા છે. હોસ્પિટલમાં મરનાર માણસોમાં એક મહિલા અને એક પુરૂષ છે.

  ક્રિસ્ટલ ટાવર પારેલ વિસ્તારમાં આવેલું છે. જે પ્રખ્યાત હિંદમાતા સિનેમાની પાસે આવેલું છે. જે લોકો ટાવરમાં ફસાયેલા છે તેમને ક્રેન દ્વારા નીકાળવામાં આવી રહ્યાં છે ઘાયલ લોકોને કેઇએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.

(12:20 pm IST)