News of Wednesday, 22nd August 2018
અટલજીના નિધનના ચાર દિવસ બાદ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતા સલમાન થયો ટ્રોલ
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટે લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના નિધનથી બોલીવુડમાં પણ શોકનું મોજુ હતું. તમામ હસ્તિઓ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
પરંતુ સલમાન ખાને વાજપેયીના નિધનના ચાર દિવસ બાદ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. સલમાન ખાને પોતાના ટ્વીટમાં લખ્યું- ખરેખર અટલજી જેવા મહાન નેતા, શાનદાર રાજનેતા, વક્તા અને અસાધારણ વ્યક્તિને ખોઇને દુખ ખઈ રહ્યું છે.
આ ટ્વીટ કર્યાની સાથે જ સલમાન ટ્રોલ થવા લાગ્યો. એટલું જ નહીં સલમાને feelingનો સ્પેલિંગ ખરાબ લખ્યો હતો. તેણે feelingની જગ્યાએ feeing લખ્યું હતું.
(12:00 am IST)