મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં એક આતંક્વાદી ઠાર ;મોડીરાત સુધી ઘર્ષણ

હંદવાડામાં ત્રણ થી ચાર આતંકીઓ છુપાયા :સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

 

નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે આજે બપોરથી ચાલુ થયેલા ઘર્ષણમાં મોડી રાત સુધી ચાલ્યું હતું. સુરક્ષાદળોને ખબર મળ્યા કે કુપવાડા જિલ્લાના હંદવાડા 3-4 આતંકવાદીઓ છુપાયેલા છે. જ્યારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેર્યો તો આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો. ઘર્ષણ હજી પણ ચાલી રહ્યું છે

  સૈન્ય દળોની કાર્યવાહીમાં રાષ્ટ્રીય રાઇફલ્સ, એસઓજી અને સીઆરપીએફના જવાનોનો સામેલ છે આતંકવાદીઓ દ્વારા ગોળીબાર ચાલુ કરાયા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો હતો અને વધારે સુરક્ષાદળોને તૈનાત કરી દેવાયા હતા. ઓપરેશન ચાલુ હોવાનાં કારણે ઠાર કરાયેલા આતંકવાદીઓના શબ હજી સુધી સુરક્ષા દળો પોતાના કબ્જામાં લઇ શક્યા નથી

(11:46 pm IST)