કેલીફોર્નિયાના ફૂલેરટન ટાઉનમાં આવેલ કેલીફોર્નિયા સ્ટેટ યુનીવરસીટીમાં જે જૈન અભ્યાસ ક્રમ કાર્યવંત છે તેમાં જૈન સમાજના ૧૬માં તીર્થકર ભગવાન શ્રી શાંતિનાથ દાદાના પ્રોગ્રામનો અભ્યાસ સમાવેશ કરવામાં આવશેઃ ઓગષ્ટ માસની ૨૬મી સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નિયાના આરાધના હોલમાં યુનીવરસીટી તથા જૈન સેન્ટરના પદાધીકારીઓ આ અંગેના દસ્તાવેજો પર જરૂરી સહમતીના હસ્તાક્ષરો કરશેઃ જૈન સંઘના તમામ સભ્યોને આ પ્રસંગે હાજર રહેવા ભાવભીનું આમંત્રણઃ શાંતિનાથ ભગવાનનો પ્રોગ્રામ અભ્યાસક્રમમાં દાખલ થનાર હોવાથી તમામ લોકોમાં પ્રસરી રહેલી આનંદની લાગણીઓ
(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ કેલીફોર્નિયાના ફૂલેરટન ટાઉનમાં કેલીફોર્નિયા સ્ટેટ યુનીવરસીટી આવેલ છે અને તેમાં ભીન્ન ભીન્ન પ્રકારના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્રમો ચલાવવામાં આવે છે જેમાં જૈન ધર્મ અંગેના અભ્યાસ ક્રમોનો પણ સમાવેશ થાય છે અને તે અંગે વિદ્યાર્થીઓ જરૂરી અભ્યાસ કરી તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
આ અભ્યાસક્રમમાં જૈન ધર્મના ૧૬માં તીર્થકર ભગવાન શાંતિનાથ દાદાનો પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવે એવી લાગણી અને પ્રેરણા સંઘના કેટલાક દાનવીરોમાં થતા તેમણે આ અંગેના જરૂરી દાનોની પણ જાહેરાત કરેલ છે અને તેમાં ડો.નરેન્દ્ર અને રીટા પારસોન, ડો જશવંત અને મીરા મોદી, મહેશ અને ઉષા વાધર તેમજ સંઘના અન્ય સભ્યોઓ સમાવેશ થાય છે.
આ સમગ્ર પ્રક્રિયા અંગે યુનીવરસીટીના સત્તાવાળાઓ તથા જૈન સેન્ટર ઓફ સઘર્ન કેલીફોનિયાના સંચાલકો વચ્ચે જરૂરી દસ્તાવેજી હસ્તાક્ષર કરવાનો એક ભવ્ય કાર્યક્રમ જૈન સેન્ટરના આરાધના હોલમાં ઓગષ્ટ માસની ૨૬મી તારીખને રવીવારે મધ્યાનહે સવાબાર કલાકે યોજવામાં આવેલ છે પરંતુ તે અગાઉ બપોરે સાડા અગીયાર વાગે સામુહિક લંચનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો સંઘના સભ્યોને તેમાં પધારવા આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે પરંતુ આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે માટે તે કરાવવા વિનંતી છે.
ફુલેરટનની કેલીફોર્નિયા સ્ટેટ યુનીવરસીટીમાં જૈન ધર્મ અંગેનો જે અભ્યાસક્રમ હાલમાં ચાલે છે તેમાં ૧૬માં તીર્થકર ભગવાન શાંતિનાથ દાદાના અભ્યાસ ક્રમનો સમાવેશ કરાનાર હોવાથી સંઘના ભાઇ બહેનો તથા જીસાસુઓમાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.