મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd August 2018

સિદ્ધુની નિંદા કરનારા ઉપદ્વ્રિપમાં શાંતિના પ્રયાસોને નુકશાન પહોંચાડે છે :ઇમરાનખાન

શાંતિ વગર આગળ ન વધી શકીએ: કાશ્મીર સહિતના વિવાદનું સમાધાન જરૂરી

કરાચી :પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના શપથગ્રહણ સમારંભમાં આવવા બદલ મંગળવારે નવજોતસિંહ સિદ્ધુનો આભાર માન્યો હતો સાથો સાથ . ઈમરાને પોતાના ટ્વીટમાં કહ્યું કે મારા શપથગ્રહણમાં આવવા માટે સિદ્ધુની નિંદા કરવામાં આવે છે, તેઓ ઉપમહાદ્વીપમાં શાંતિના પ્રયાસોને મોટું નુકસાન પહોંચાડી રહ્યાં છે. શાંતિ વગર આપણે આગળ ન વધી શકીએ. કાશ્મીર સહિતના વિવાદનું સમાધાન જરૂરી છે

(8:30 pm IST)