મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

કેરળમાં કોરોનાનો વધતો કહેર : દેશમાં નવા 41.683 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 38.793 દર્દીઓ રિકવર થયા : વધુ 510 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.19.021 થયો :એક્ટીવ કેસ 4.03.605 થયા : કુલ કેસની સંખ્યા 3.12.56.839 થઇ

સૌથી વધુ કેરળમાં 17481 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8159 કેસ,આંધ્રપ્રદેશમાં 2527 કેસ, તામિલનાડુમાં 1891 કેસ,ઓરિસ્સામાં 1`927 કેસ,આસામમાં 1547 કેસ, કર્ણાટકમાં 1639 કેસ,મણિપુરમાં 1327 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 41.683 કેસ નોંધાયા છે. જ્યારે 38.793 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 41.683 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 510 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.19.021 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 41.683 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.12.56.839 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.03.605 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.793 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.04.21.813 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 17481 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8159 કેસ,આંધ્રપ્રદેશમાં 2527 કેસ, તામિલનાડુમાં 1891 કેસ,ઓરિસ્સામાં 1`927 કેસ,આસામમાં 1547 કેસ, કર્ણાટકમાં 1639 કેસ,મણિપુરમાં 1327 કેસ નોંધાયા છે

(1:13 am IST)