News of Monday, 22nd July 2019
આરટીઆઇ કાયદામાં સુધારાની ઝાટકણી કાઢતા અરવિંદ કેજરીવાલ
આરટીઆઇ એકટમાં સુધારો ખોટુ પગલુ કેજરીવાલનુ ટવીટ : કેન્દ્રિય અને રાજ્યોના માહિતી પંચોની સ્વતંત્રતા સમાપ્ત થશે
દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોદી સરકારના આરટીઆઇના કાયદામાં સુધારાના નિર્ણયની ટીકા કરીને આ નિર્ણય ને ખોટુ પગલુ ગણાવ્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે આ પગલાથી કેન્દ્રિય અને રાજ્યોના માહિતી પંચની સ્વતંત્રતાને સમાપ્ત કરી દેશે. જેનાથી આરટીઆઇને નુકશાન થશે.
(3:52 pm IST)