News of Monday, 22nd July 2019
કેરળમાં ગજરાજોને દાવત
કેરળના ત્રિશુરમાં ગઇકાલે વડકકુનાથન મંદિરમાં વાર્ષિક સમારોહ દરમ્યાન ગજરાજોને ભોજન કરાવતા શ્રધ્ધાળુઓ તસ્વીરમાં દેખાય છે. આ મહોત્સવની શરૂઆત સૌથી નાના હાથીને ભોજન કરાવી થાય છે. તે પછી બીજા હાથીઓને ભોજન કરાવાય છે. હાથીઓને ગોળ, ઘી અને હળદર સાથે ભાત ભોજન માટે અપાય છે. સાથોસાથ ભોજનમાં - નાળીયેર, શેરડી, કેળા અને કાકડી પણ હોય છે. વડકકુનાથન મંદિરના સંરક્ષણ માટે તેને યુનેસ્કોનું ઉત્કૃષ્ટતા પુરસ્કાર પણ મળી ચુકયું છે
(11:46 am IST)