મુખ્ય સમાચાર
News of Saturday, 22nd June 2019

દિલ્હીમાં ટ્યુટર દ્વારા પત્નિ અને ૩ બાળકની ક્રુર હત્યા

મહેરોલીમાં કમકમાટીભરી હત્યાની ઘટના સપાટી ઉપર આવતા ખળભળાટ : હત્યારાની ધરપકડ કરીને પુછપરછ : ડિપ્રેશનનો શિકાર હોવાની હત્યારાની દલીલ

નવી દિલ્હી,તા. ૨૨ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક કમકમાટીભરેલી ઘટના આજે સપાટી પર આવી હતી. અહીં એક વ્યક્તિએ પરિવારના તમામ સભ્યોની ક્રુર હત્યા કરી  નાંખતા ખળભળાટ મચી ગયો હતો. હત્યારાએ તેની પત્નિ અને ત્રણ બાળકોની ક્રુર હત્યા કરી નાખી હતી. મળેલી માહિતી મુજબ આ હત્યાકાંડને ઉપેન્દ્ર શુક્લા નામના શખ્સે અંજામ આપ્યો છે. ૪૨ વર્ષીય ઉપેન્દ્ર ટ્યુશન ભણાવે છે. આ શખ્સે પોતાની પત્નિ રિન્કુ શુકલા અને ત્રણ બાળકોની હત્યા કરી દીધી છે. બાળકોની વય ક્રમશ છ, ૫ વર્ષ અને બે મહિનાની હોવાની જાણવા મળ્યુ છે. ઉપેન્દ્ર કુશવાહે નોંધ લખીને મર્ડરની હત્યાની કબુલાત કરી લીધી છે. જો કે હત્યાકાંડ પાછળના કારણ અંગે કોઇ માહિતી આપી નથી. સાઉથ  દિલ્હીના ડીસીપીએ કહ્યુ છે કે ઉપેન્દ્રની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ઉપેન્દ્ર દ્વારા ત્રણેયના ગળા પર પ્રહાર કરીને ક્રુર હત્યા કરી છે. ચાકુને કબજે કરીને તપાસ ચાલી રહી છે. આસપાસના લોકોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો તે છેલ્લા  કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. જે ઘરમાં તમામની હત્યા કરી તે ઘરમાં સાસુ પણ રહેતી હતી. સવારમાં ઉપેન્દ્ર દ્વારા દરવાજો ખોલવામાં ન આવતા તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ પાડોશી લોકોને બોલવાવામા ંઆવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ હત્યાકાંડની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. દિલ્હીમાં બનેલી આ ઘટનાની ચર્ચા ચારે બાજુ જોવા મળી હતી. માસુમ બાળકોની આ શખ્સે હત્યા કરી નાખી હતી. કાતિલ ઉપેન્દ્રની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પુછપરછ ચાલી રહી છે. ઉપેન્દ્ર પોતે પોતાને ડિપ્રેશનમાં હોવાની વાત કરી રહ્યો છે. ૪૨ વર્ષીય આ શખ્સ બાળકોને ટ્યુશન ભણાવી રહ્યો હતો. ત્રણ બાળકો અને પત્નિની હત્યા કરવા પાછળ કારણોને જાણવા માટે પોલીસ મધામણ કરી રહી છે. પત્નિની ઓળખ કરી લેવામાં આવી છે. પત્નિનુ નામ રિન્કુ શુકલા હોવાનુ જાણવા મળી રહ્યું છે. પડોશી લોકોનુ કહેવુ છે કે, ઉપેન્દ્ર લઈને હાલમાં તેની પત્ની કોઈ વાત કરી ન હતી. જો કે કેટલા લોકોએ કહ્યુ છે કે, ઉપેન્દ્ર ડિપ્રેશનમાં હતો. દિલ્હીમાં પહેલા પણ આ પ્રકારના સામૂહિક હત્યાકાંડની ઘટનાઓ બની ચુકી છે પરંતુ આજે બનેલી ઘટનાથી તમામ ચોંકી ગયા છે. હત્યા પાસેથી કેટલીક નવી વિગત ખુલે તેમ માનવામાં આવે છે. દિલ્હીમાં બનેલી આ ઘટના સંદર્ભે આસપાસના લોકોએ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નથી.

(8:00 pm IST)