મુખ્ય સમાચાર
News of Saturday, 22nd June 2019

જમ્મુ-કાશ્મીર : કુખ્યાત ત્રાસવાદીને ફુંકી મરાયો

હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

જમ્મુ,તા.૨૨ : જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં અંકુશ રેખા નજીક મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં એક ત્રાસવાદીને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે. આ અથડામણ આજે સવારે થઈ હતી. હાલમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કરવામાં આવી નથી. અન્ને નોંધનીય છે. બારામુલ્લા જીલ્લાના આ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ ભારતીય સેના અને પોલીસે ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓ ગોળીબાર કર્યો હતો. છુપાયેલા ત્રાસવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવતા એક ત્રાસવાદી ઠાર થયો હતો. ઉત્તર કાશ્મીરમાં ઉરીમાં લાંબા સમયથી ઘુસણખોરી અને આતંકવાદી ગતિવિધીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. ૨૦૧૬માં આતંકવાદી સંગઠન જૈસ દ્વારા ભારતીય સેનાના બેઝ કેમ્પ પર હુમલો કરાયો હતો.

(7:59 pm IST)