વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ યોજના 'કાલેશ્વરમ'નું તેલંગાણામાં લોકાર્પણ:80 હજારના પ્રોજેક્ટનું ઉદ્ધઘાટન
ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઈ.એસ.એલ. નરસિમ્હન પણ સમારોહમાં હાજર રહ્યા
નવી દિલ્હીઃ તેલંગાણાના વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ યોજનાનું લોકાર્પણ થયું હતું જયશંકર ભુપલપલ્લી જિલ્લાના મેડીગડ્ડામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ 'કાલેશ્વરમ'નું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે ત્રણ રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. 21 જુનના રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ. નરસિમ્હન પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
લગભગ 80 હજાર કરોડના આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં પહેલાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમનાં પત્નીએ ગોદાવરી માતાની વિધિસર પૂજા કરી હતી. અનેક કારણોસર આ પ્રોજેક્ટ અનોખો છે.
લગભગ રૂ.82,000 કરોડના ખર્ચ વાળો આ વિશાળ અને અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) અને ભેલ (BHEL)ની (60%-40%) ભાગીદારી સાથે માત્ર 3 વર્ષમાં તૈયાર કરાયો છે. એણઈઆઈએલના નિર્દેશક શ્રીનિવાસ રેડ્ડીના જણાવ્યા અનુસાર, તેલંગાણાની ભૌગોલિક સ્થિતિના કારણે અહીં ગોદાવરી સહિત અનેક વિશાળ નદીઓ હોવા છતાં પણ તેના પાણીનો ફાયદો રાજ્યના મોટાભાગના લોકોને મળતો ન હતો.
, ગોદાવરી નદી સમુદ્રની સપાટીથી 100 મીટરની ઊંચાઈએ વહે છે તો તેલંગાણા રાજ્ય ગોદાવરી નદીથી લગભગ 650 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ જ કારણે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે ગોદાવરી નદીના પાણીને લિફ્ટ કરવાની યોજના બનાવી હતી.
આ પ્રોજેક્ટમાં વરસાદના પાણીનો જમીનના નીચે બનેલા 20 જળાશયોમાં સંગ્રહ કરવામાં આવશે. ત્યાર પછી જ્યારે જરૂર પડશે ત્યારે પંપ હાઉસ દ્વારા જમીન પર ખેંચીને લાવવામાં આવશે અને તેને સિંચાઈ સહિત અન્ય જરૂરી કામો માટે રાજ્યમાં બનેલી નહેરોની મારફતે જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડવામાં આવશે.
પ્રોજેક્ટની આ વાત જ તેને અનોખો બનાવે છે. અગાઉ ચોમાસામાં જે પાણી પૂર સ્વરૂપે એમ જ વહીને સમુદ્રમાં સમાઈ જતું હતું, તેને હવે સંગ્રહિત કરવામાં આવશે. આટલા મોટા પ્રોજેક્ટની બીજી વિશેષતા એ છે કે અનેક જિલ્લાઓને આવરી લેનારા આ પ્રોજેક્ટમાં જમીન સંપાદન નામ-માત્રનું કરવામાં આવ્યું છે, કેમ કે પ્રોજેક્ટનો મોટોભાગ અંડરગ્રાઉન્ડ છે.