શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના દ્વારા ૪૫,૦૦૦ પાઉન્ડનું માતબર દાન અનાથ બાળકોના હિતાર્થે સેવ ધી ચિલ્ડ્રન સોસાયટી, લંડન ને અર્પણ કરાયું
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોતમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ના સદભાવ પર્વ અંતર્ગત વર્ષ દરમ્યાન લંડનના નાના બાળકોથી માંડી વૃધ્ધ વય સુધીના દરેક સભ્યે વિવિધ ઇવેન્ટ યોજી તેના દ્વારા એકત્રિત કરેલ ૪૫,૦૦૦ પાઉન્ડ ના માતબર દાનનો ચેક મિ.કલીવ સેન્ડર્સ, ડાયરેકટર,સેવ ધી ચિલ્ડ્રન ચેરીટી. લંડનને પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજના વરદ હસ્તે અનાથ બાળકોના હિતાર્થે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી લંડન ખાતે અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે યુ.કે.ના કવીન એલીઝાબેથ ના પ્રતિનિધી લેફટન્ટ સર નિથ ઓલિસા, ઓ.બી.ઇ ખાસ પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજના દર્શને પધાર્યા હતા. અને તેઓશ્રી આ પ્રસંગે આનંદ ઉદગાર માં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી વિશ્વ ફલક ઉપર પ્રસરેલી સામાજીક રચનાત્મક પ્રવૃતિઓની સેવાની સુવાસથી પ્રભાવિત થયો છું.
જયારે સેવ ધી ચિલ્ડ્રન ચેરીટીના ડાયરેકટરશ્રી એ જણાવ્યું હતું કે અમને સ્વપને પણ ખ્યાલ નહતો કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આટલું મોટું પ્રેમભર્યુ દિલથી માતબર દાન મળશે જે બાબત સરાહનીય છે.