મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd May 2018

''પ્લાન્ડ મર્ડર'' ? શ્રી દેવીના મૃત્યુ પાછળનું રહસ્ય ઘૂંટાય છે ! કોઇ મોટા વિસ્ફોટો થવા સંભવ !

નવી દિલ્હી, તા. રર :  દિલ્હીના નિવૃત્ત એસીપી વેદભૂષણે તાજેતરમાં જ જબરો ઘડાકો કર્યો હતો કે શ્રીદેવીનું મોત સાહજિક નથી દૂધઇ પોલીસે કોઇ વિગતો જાહેર નથી કરી, માત્ર કોરા કાગળમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ જાહેર કર્યો છે. વેદપ્રકાશે દૂબઇ જઇ અનેક બાબતો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના કોઇ જવાબ મળતા નથી. ત્યારે જાણીતા ડેટા એનાલીસ્ટ ડો. જી. પ્રધાને પણ આ મૃત્યુ બાબતે શંકાઓ ઉઠાવી છે શ્રી દેવીનું મૃત્યુ થાય તો રપ૦ કરોડનો વીમો ઉતરાવેલ છે જે તેની પુત્રી-પતિને મળે તે સ્વાભાવિક છે, પરંતુ  વિમા કંપનીએ વિમો ઉતાર્યો છે તેમાં એક કલમ એવી છે કે, શ્રી દેવીનું મૃત્યુ દૂબઇમાં થાય તો જ આ રકમ તેના વાલી-વારસને મળે. આવી ઘણી બાબતો ઉપર દિલ્હીના પૂર્વ સિનીયર પોલીસ અફસર વેદપ્રકાશે પ્રશ્નો ઉઠાવ્યા છે. શ્રી દેવીના મૃત્યુને સુનિયોજીત-પ્લાન્ડ મર્ડર ગણાવી દાઉદના હાથ હોવાની પણ તેમણે ભીતિ દર્શાવી છે. દૂબઇ પોલીસ તેની નિષ્પક્ષ તપાસ માટે જાણીતી છે અને ભલભલાની શેહશરમ રાખતી નથી. ત્યારે અહીં ફટાફટ કાર્યવાહી આટોપી લેવાઇ, બધું સીક્રેટ રખાયું અને દાઉદની મનાતી આ હોટલનો આખો સ્ટાફ બદલી નખાયો તે શું સૂચવે છે ? દૂબઇ યુએઇના ક્રાઉન પ્રીન્સ સાથેના દાઉદના ઘનિષ્ઠ સંબંધો જાણીતા છે.

(11:41 am IST)