મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

CPM જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના ૩૪ વર્ષીય પુત્રનું કોરોનાથી નિધન

આશિષની ઉંમર ૩૪ વર્ષ છે અને તેઓ નવી દિલ્હી ખાતેના એક ન્યૂઝ પેપરમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા હતા

નવી દિલ્હી,તા. ૨૨: CPM જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના મોટા પુત્ર આશિષ યેચૂરીનું ગુરુવારે સવારે કોરોનાથી નિધન થયું છે. આશિષની ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોના સંક્રમિત થાય બાદ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતી. આ પહેલા તેમને હોલી ફેમિલી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જયાંથી અહીં ખસેડાયા હતા.

પરિવારના નજીકના લોકોના જણાવ્યા પ્રમાણે આશિષની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. જોકે, બે અઠવાડિયાની લડત બાદ ગુરુવારે વહેલી સવારે ૫:૩૦ વાગ્યે તેનું કોરોનાથી નિધન થયું હતું. આશિષની ઉંમર ૩૪ વર્ષ છે અને તેઓ નવી દિલ્હી ખાતેના એક ન્યૂઝ પેપરમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા હતા.

સિતારામ યેચુરીએ ટ્વીટ કરીને તેમના મોટા પુત્રના નિધનની માહિતી આપી હતી. હાલ તેઓ હોમ કવોરન્ટીન છે. આ સાથે જ તેમણે તેમના પુત્રની સારવાર કરનાર ડોકટર્સ અને નર્સિંગ સ્ટાફ સહિત મુશ્કેલ ઘડીમાં પરિવારની પડખે ઊભા રહેનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.

(10:20 am IST)