News of Thursday, 22nd April 2021
મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં 67,468 પોઝીટીવ કેસ નોંધાયા : 568 લોકોના મોત
પુણેમાં છેલ્લા 24 કલાકમાં 10,852 કેસ અને 35 લોકોના મોત:.નાગપુરમાં 7555 કેસ અને 41 લોકોના મોત
મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,468 કેસો નોંધાયા છે તથા 568 લોકોના મોત થયા છે.રાજ્યમાં એક દિવસમાં કોરોનાથી થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. પુણેમાં છેલ્લા 24 કલાકમાં 10,852 કેસ આવ્યાં છે અને 35 લોકોના મોત થયા છે.નાગપુરમાં 7555 કેસ આવ્યાં અને 41 લોકોના મોત થયા છે.
(12:00 am IST)