મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

કોંગ્રેસના વધુ નેતાઓને કોરોના વળગ્યો : મનમોહનસિંહ , રાહુલ ગાંધી બાદ અધીર રંજન ચૌધરી અને શશી થરૂરને કોરોના સંક્રમિત

આ અંગે બંને નેતાઓએ ટ્વિટ કરીને જાણકારી આપી

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે રાજકારણીઓ પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના મજબૂતી સાથે સરકાર પર આકરા પ્રહારો કરનારા દિગ્ગજ નેતા અધિર રંજન ચૌધરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમજ કોંગ્રેસના કેરલના તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ અંગે બંને નેતાઓએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં જ રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત થયા હતા. તે અગાઉ દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

(12:00 am IST)