મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

સાધ્વી પ્રજ્ઞાની વિરૂદ્ધ ચુંટણી પંચે વધુ એક નોટિસ ફટકારી

પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારોબાબરી મસ્જિદ લઈને ટિપ્પણી કર્યા બાદ નોટિસ : બાબરી મસ્જિદને તોડવામાં ભૂમિકા હોવાની પણ પ્રજ્ઞાની કબુલાત

ભોપાલ, તા. ૨૧ : ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચુંટણી પંચ તરફથી વધુ એક નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ વખતે ચુંટણી પંચે એક ટીવી ચેનલ પર બાબરી મસ્જિદને લઈને તેમની ટિપ્પણી બાદ ભોપાલ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે. વિવાદાસ્પદ નિવેદનમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડવામાં તેમના દ્વારા મદદ કરવામાં આવી હતી અને હવે રામ મંદિર બનાવવામાં પણ મદદ કરશે. આ પહેલા પ્રજ્ઞાએ ૨૬/૧૧ ના મુંબઈ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેના મામલે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. આખરે માફી માંગવાની ફરજ પડી હતી. કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પ્રજ્ઞા ઠાકુર પર પ્રહાર કરતા કહ્યું છે કે પ્રજ્ઞા શરૂઆતથી જ એક લડાયક મિજાજની મહિલા રહી છે. સાધ્વી પ્રજ્ઞાને ભોપાલ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. આ સીટ પરથી ઉમેદવારી બાદથી પ્રજ્ઞા એક પછી એક વિવાદમાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ તેમની સામે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. કરકરે બાદ હવે બાબરી મસ્જિદને લઈને પ્રજ્ઞાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. પ્રજ્ઞાએ કહ્યું છે કે રામ મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે. આ એક ભવ્ય મંદિર હશે. રામ મંદિર નિર્માણ માટે તેઓ કોઈ સમયસીમા દર્શાવી શકે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પ્રજ્ઞાએ કહ્યું હતું કે અમે મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. બાબરી મસ્જિદને ધ્વંસ કરવા માટે પણ અમે પહોંચ્યા હતા. માળખાને તોડી પાડવામાં તેમની ભૂમિકા હતી. તેમને ગર્વ છે કે ભગવાને તેમને શક્તિ આપી હતી અને તેઓએ આ કામ કર્યું હતું. બીજી બાજુ છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહ્યું છે કે અપરાધી જેવી વૃત્તિ કરવાની બાબત સાધ્વીમાં પહેલાથી જ જોડાયેલી છે. ૧૯ વર્ષ પહેલા અહીં ચાકુબાજી કરવામાં આવતી. હતી. મારપીટ કરવામાં આવતી હતી. પ્રજ્ઞાને એટીએસના તત્કાલીન વડા હેમંત કરકરે પર અત્યાચાર ગુજારવાના આક્ષેપ બાદ વ્યાપક નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. કરેકરેના સંદર્ભમાં પ્રજ્ઞાએ એમ કહીને વિવાદ છેડ્યો હતો. ક્ટડીમાં તેમને ખૂબ વધારે પડતા અત્યાચાર બાદ તેઓએ જ તેમને અભિષાપ આપ્યો હતો. જેના લીધે કરકરેનો મોત થયું હતું. ૨૦૦૮માં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં પ્રજ્ઞા આરોપી તરીકે છે અને હાલમાં જામીન ઉપર છે. આ મામલાની તપાસ કરકરેના નેતૃત્વમાં કરવામાં આવી હતી.

(12:00 am IST)