News of Thursday, 22nd March 2018
એસબીઆઇની ગ્રાહકોને ચેતવણીઃ અજાણી વ્યકિતને પોતાના ખાતા નંબર આપી પૈસા મંગાવતા નહી
નવી દિલ્હી, તા., રરઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે સત્તાવાર ચેતવણી જારી કરી છે. આ સલાહ ડીજીટલ ટ્રાન્જેકશનને લઇને આપવામાં આવી છે. ટીજીટલ ટ્રાન્જેકશનથી તમે તમારા મિત્ર કે સગા-વહાલાઓને એક મીનીટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ બધા વચ્ચે તમારે ઘણા મુદ્દે સચેત રહેવાની જરૂર છે. એસબીઆઇએ છેતરપીંડીને ધ્યાને રાખી આ સલાહ આપી છે.
એસબીઆઇએ પોતાના ઓફીશ્યલ ટવીટર હેન્ડલ ઉપર ગ્રાહકોને ચેતવણી દીધી છે કે, કોઇ પણ અજાણી વ્યકિતને તમારા ખાતા નંબર આપી તેમની પાસેથી પૈસા ન મંગાવો. આમ કરવાથી તમારા ખાતા મારફત મની લોન્ડરીંગ, છેતરપીંડી કે આતંકવાદને પોષણ મળી શકે છે.
(4:44 pm IST)