મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવનારનો મોટો ધડાકો.. મારી પાછળ આખી ટીમ

મારી પાછળ ઘણી બધી એડવાઇઝરી કમિટીઓ કામ કરે છે અને તેઓ જે સલાહ આપે છે એ પ્રમાણે કરૂ છું

બેંગ્લોર, તા.૨૨: બેંગલુરૂમાં નાગરિકતા સંશોધન એકટના વિરૂધ આયોજીત એક રેલીમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવનાર અમૂલ્યા લિયોન ખાસી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર જયાં તેને પાકિસ્તાન જવાની સલાહ અપાઇ રહી છે. ત્યાં ગુરૂવાર રાત્રે ઉપદ્રવીઓએ તેના ઘર પર હુમલો કરી દીધો અને બારીઓના કાચ તોડી નાંખ્યા. હવે અમૂલ્યાએ ખુલાસો કર્યો કે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવાની પાછળ તેનો હેતુ શું હતો અને તેની પાછળ કોની વિચારસરણી હતી. અમૂલ્યાનો આ વીડિયો વાયરલ થયા બાદ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મસ્લિમીન (AIMIM) પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર પણ નિશાન સાંધવામાં આવી રહ્યું છે.

હવે અમૂલ્યાએ ખુલાસો કર્યો કે હું જે પણ આજે કરી રહી છું, એ હું નથી કરી રહી. હું તો માત્ર મીડિયાના લીધે ફેસ બની ગઇ છું. પરંતુ મારી પાછળ ઘણી બધી એડવાઇઝરી કમિટીઓ કામ કરે છે અને તેઓ જે સલાહ આપે છે એ પ્રમણે કરૂ છું. તેઓ કહે છે કે આજે સ્પીચમાં આ વાત બોલવાની છે, આ પોઇન્ટસ છે. કોન્ટેન્ટ ટીમ કામ કરે છે ઘણા બધા સીનિયર એકિટવિસ્ટ કામ કરે છે, મારા પપ્પા-મમ્મી બોલે છે કે આવું બોલવાનું છે, આવું કરવાનું છે, અહીં જવાનું છે. એક ખૂબ મોટું સ્ટુડન્ટ ગ્રૃપ- બેંગ્લોર સ્ટુન્ટ એલાયન્સ - જે આ તમામ પ્રોટેસ્ટની પાછળ કામ કરી રહ્યું છે. હું તો માત્ર તેનો એક ચહેરો બની છું પરંતુ બેંગ્લોર સ્ટુડન્ટ એલાયન્સ ખૂબ મહેનત કરી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે AIMIM સાંસદ અસદુદ્દી ઓવૈસીની હાજરીમાં CAAના વિરોધમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મંચ પર હાજર ૧૯ વર્ષની અમૂલ્યા લિયોને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને તેને ખૂબ આલોચના ઝીલવી પડી. આ સિવાય તેમના વિરૂદ્ઘ દેશદ્રોહનો કેસ નોંધાવીને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે.

(10:10 am IST)